Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

જુનાગઢ વનરાજસિંહ રાયજાદાના ફાર્મહાઉસે કાનગોપી સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળતા પૂ.મોરારીબાપુ

જુનાગઢઃ ક્ષત્રિય સમાજના આગેવાન અને પુર્વ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શ્રી વનરાજસિંહ રાયજાદાના કોયલી ફાટક પાસે આવેલ ગુરૂકૃપા ફાર્મહાઉસ ખાતે રાષ્ટ્રીય સંત પ્રખર રામાયણી પૂ. મોરારીબાપુએ સાંજે પધરામણી કરી અને રાત સુધી રોકાણ કર્યું હતું. દરમ્યાન પૂ. બાપુએ વનરાજસિંહજી ને ત્યાં બાજરાનો રોટલો રિંગણાનો ઓળો મરચા સહિત કાઠીયાવાડી ભોજન કયુંર્ હતું. અને ત્યારબાદ ગાયોના લાભાર્થે  ત્યાંજ શ્રી વનરાજસિંહ બાપુ દ્વારા આયોજીત ગોૈ સેવાના લાભાર્થે કાનગોપી કૃષ્ણભકિતનો સાંસ્કૃતિક કાર્યક્રમ પૂ. મોરારીબાપુએ નિહાળી આ કલાકારોને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં રાયજાદા પરિવારના શ્રી રાજેન્દ્રસિંહ રાયજાદા, શ્રી હરદેવસિંહ રાયજાદા તેમજ પ્રતિપાલસિંહ જાડેજા તેમજ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી જે.પી. મૈયાણી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી એ.આર. પાઠક ગુજરીયાના શ્રી જોરૂભાઇ ખુમાણ પદ્મશ્રી લોકસાહિત્યકાર ભીખુદાનભાઇ ગઢવી, માયાભાઇ આહીર, ઢોલક ના બેતાજ બાદશાહ હાજી રમકડુ તેમજ ઉપલેટાના દેવરાજભાઇ ગઢવી, કવિ જીતુદાન તેમજ જુનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશ ધુલેશીયા કોર્પોરેશનના આસી. કમિશનર શ્રી પ્રફુલ્લ કનેરીયા, જયેશ વાજા તેમજ જુનાગઢના ઓર્થોમેડીકસર્જન ડો. કશ્યપ આરદેશણા, ડો. આર.સી. ઠુમ્મર સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહયા અને સોૈએ કાઠીયાવાડી ભોજન લીધા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો હતો. ઉપરોકત તસ્વીર કાન ગોપીના કાર્યક્રમ રજુ  કરતા કલાકારો અને ઢોલકની જમાવટ કરતા હાજી રમકડુ અને એકચિતે કાર્યક્રમ નિહાળતા પૂ. મોરારીબાપુ અને કાર્યક્રમમાં ભાવવાહી ઉદ્દબોધન કરતા શ્રી વનરાજસિંહ રાયજાદા તેમજ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ જામનગરના ધારાસભ્ય શ્રી હકુભા જાડેજા, ગોંડલના ધારાસભ્યશ્રી ગીતાબા જાડેજા, પોરબંદરના શ્રી રાજભા જેઠવા, ભાવનગરના શ્રી કિશોરસિંહજી ઝાલા તેમજ મુંબઇના અશોકભાઇ મકવાણા કેશોદ ડીવાયએસપી શ્રી ગઢવી એડવોકેટ(નોટરી) ડીડી દેવાણી વિજયભાઇ કારીયા સહિતના હાજર રહયા હતા. તેમજ પૂ. મોરારી બાપુ સાથે જયંતિભાઇ ચાંદ્રા સહિતના સેવકો રહયા હતા.(અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)(૧.૨૩)

 

(2:35 pm IST)