Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ગોંડલમાં પૂ. મહંત સ્વામીનું આગમન : દિવાળી સુધી રોકાશે

બીએપીએસના વડાનું આગમન થતાં હરિભકતો દર્શન માટે ઉમટ્યા

ગોંડલ : પૂ. મહંત સ્વામીનું ગોંડલ અક્ષર મંદિરે આગમન થતાં હરિભકતો ઉમટયા છે. બીજી તસ્વીરમાં ડ્રોનથી અક્ષર મંદિરનો અદ્ભૂત નજારો જોવા મળે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

ગોંડલ તા. ૨૪ : બીએપીએસના વડા પૂ. મહંત સ્વામીનું ગોંડલમાં આગમન થતાં હરખની હેલી છવાઇ છે અને દિવાળી સુધી દર્શન અને આશિર્વાદનો લાભ પૂ. મહંત સ્વામી આપશે.

બીએપીએસના પૂ.મહંત સ્વામીની અધ્યક્ષતામાં ગોંડલના સ્વામીનારાયણ મંદિર અક્ષર મંદિર ખાતે દિપોત્સવી પર્વ ધામધૂમથી ઉજવાશે. ગોંડલમાં સંપ્રદાયના હરિભકતોને ૨૩ ઓકટોબરથી ૯ નવેમ્બર દરમિયાન પરમ પૂજય મહંત સ્વામી મહારાજના દિવ્ય સત્સંગનો લાભ પ્રાપ્ત થનાર છે. શરદપૂનમ, દિવાળી અને અન્નકુટ ઉત્સવની ઉજવણી થશે.

મહંત સ્વામીના આગમનને વધાવવા અક્ષર મંદિરને રંગબેરંગી લાઇટોથી શણગારાયુ છે. મહંત સ્વામી મહારાજ ગોંડલ ખાતેના રોકાણ દરમિયાન ઉજવાનાર ઉત્સવની ૨૪ ઓકટોબર બુધવારે શરદોત્સવ સવારે ૮ થી ૯ દરમિયાન અક્ષરઘાટ પર બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના દ્વિતીય વાર્ષિક ઉત્સવ નિમિતે મહાપૂજા સાંજે ૭ થી ૧૧ દરમિયાન શરદોત્સવની મુખ્ય સભા, સવારે આશરે ૯૦૦૦ અને રાત્રે ૧૫૦૦૦ જેટલા ભાવિક ભકતો ભોજન ગ્રહણ કરશે.આશરે ૨૫૦૦૦ જેટલા ભકતોનો સમાવેશ થઇ શકે તેવા વિશાળ ગ્રાઉન્ડની હરિભકતો કાર્યકરો દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. વિશાળ કલાત્મક સ્ટેજ સૌના આર્કષણનું કેન્દ્ર બની રહેશે. પાંચ મોટા અને વિશાળ એલઇડી સ્ક્રીન દ્વારા સમગ્ર મહોત્સવને નિહાળી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાઇ રહી છે. ૭ નવેમ્બરને બુધવારે દિપોત્સવી પર્વ, ચોપડા પૂજનનો કાર્યક્રમ સાંજે પ થી ૭ દરમિયાન યોજાશે. ત્યારબાદ મહાપૂજા અને આતશબાજી યોજાશે. જયારે ૮ નવેમ્બરે ગુરૂવારે નૂતનવર્ષ અન્નકુટ ઉત્સવ સવારે ૮ થી ૯ દરમિયાન નૂતનવર્ષ નિમિતે વૈદિક મહાપૂજા, બપોરે ૧૨ થી સાંજે ૭ દરમિયાન ઠાકોરજી સમક્ષ અનેકવિધ વાનગીના અન્નકુટ દર્શન દર કલાકે ઠાકોરજીની આરતી દર્શન થનાર છે. પૂજય મહંત સ્વામી મહારાજના ગોંડલ ખાતેના રોકાણ દરમિયાન દરરોજ સવારે ૫ થી ૭ દરમીયાન સ્વામીના દર્શન તેમજ આર્શિવાદનો લાભ અને દરરોજ સાંજે  પ  થી ૮ દરમિયાન વશિષ્ઠ સંતો દ્વારા કથા વાર્તાપરાયણ તેમજ સ્વામીના દર્શન આર્શીવાદનો લાભ પણ પ્રાપ્ત થશે.

(12:41 pm IST)