Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

જસદણ આર.એસ.એસ. દ્વારા વિજયાદસમી નિમિતે પથ સંચલન યોજાયું

જસદણઃ જસદણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદસમી કાર્યક્રમ નિમિતે જસદણના રાજ માર્ગો પર પથ સંચલન કરવામાં આવ્યું હતું. આ સંચલન પર જસદણની જનતા દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. સરદાર ચોક માં ગરબીની બાળાઓ દ્વારા પરમ પવિત્ર ભગવા ધ્વજ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.  ટાવરચોક, છત્રી બજાર, મોતીચોક પર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી રાષ્ટ્ર ભાવના દર્શાવી હતી. આ સંચલનમાં માત્ર બે વર્ષના સ્વયંસેવક આર્ય અખિલભાઈ યાદવે પણ ભાગ લીધો હતો. સંચલન પૂર્ણ થયા બાદ ડી.એસ.વી.કે. હાઈસ્કૂલ ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયેલ જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો એ શસ્ત્ર પૂજન કર્યું હતું. આ તકે ઉપસ્થિત જિલ્લા અધિકારી ભુપતભાઇ ચાવડા દ્વારા બૌદ્ઘિક પ્રવચન કરવામાં આવ્યું હતું. તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ તસ્વીર ધર્મેશ કલ્યાણી.જસદણ)(૨૩.૨)

(12:06 pm IST)