Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

મેંદરડા પાટીદાર કર્મચારી મંડળ દ્વારા નિઃશુલ્ક આયુ. નિદાન કેમ્પ સંપન્ન

મેંદરડા તા.૨૪: અહિંની કુમાર પે.સે. શાળા ખાતે પાટીદાર કર્મચારી મંડળ દ્વારા આયુર્વેદ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં તાલુકાભરમાંથી આશરે ૪૦૦ દર્દીઓ કે જેઓને જ્ઞાનતંતુ તથા હાડકા સંબંધી સમસ્યાઓ હોય તેવા દર્દીઓનું નિદાન તથા ફ્રી દવા આપવામંાં આવી હતી.

 

કેમ્પના મુખ્ય તપાસનીશ જામનગર ના ડો. હિતેશ જાની જુનાગઢ આયુર્વેદ હોસ્પિટલનાં ડો. થાનકી મેડમ રાહુલભાઇ તથા સમઢીયાળા આયુર્વેદ વિભાગનાં ડો. વૈષ્ણવે સેવાઓ આપેલ.

 

કેમ્પને સફળ બનાવવા પાટીદાર કર્મચારી ભાઇઓ-બહેનોએ સેેવાઓ આપેલ. તેમજ દર્દીઓએ પણ પોતાને મળેલ સારવાર બાબતે તમામ ડોકટર્સની ટીમ તથા પાટીદાર કર્મચારી મંડળનો આભાર વ્યકત કર્યો હતો.

(12:29 pm IST)