Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ગોંડલના શ્રીનાથગઢમાં શ્રી ખોડિયાર મંદિરે પંચકુંડી યજ્ઞ

શ્રીનાથગઢ : આઇશ્રી ખોડિયાર મંદિરે સત્સંગ હોલમાં ગામના યુવાનો તથા દાથાઓના  પૂર્ણ સહકારથજી જ નવરાત્રીમાં વિજયા દશમીના દિવસે તા. ૧૯/૧૦/૧૮ શુક્રવારે પંચકુંડી યજ્ઞ રાખેલ હતો. આચાર્ય પદે શાસ્ત્રીશ્રી મહેશભાઇ પંડયાએ શાસ્ત્રોકત વિધીથી યજ્ઞ કરાવેલ હતો. યજ્ઞમાં યુવાનોએ પોતાના સ્વખર્ચે આયોજન કરેલ હતું સાથે આઇશ્રી ખોડીયાર ગરબી મંડળ તથા પ્લોટ નવદુર્ગા ગરબી મંડળની બાળાઓએ ગોરણી પ્રસાદ લીધેલ હતો. સાથે બટુક ભોજન ગાયોને લીલુ તથા શ્વાનોને લાડુ જમણ કરાવવામાં આવેલ હતું

 

મુખ્ય આયોજક ગોપાલભાઇ પંડયા, હરેશભાઇ જોધાણી, કલ્પેશ ખારીયા, રમણીકભાઇ કાનપરીયા, પ્રવીણભાઇ પટોળીયા, લાલજીભાઇ પાનસુરીયા, શ્રી ગોપાલભાઇ સોરઠીયા, વીઠ્ઠલભાઇ પટોળીયા, જેઠાભાઇ રાદડીયા, મનસુખભાઇ ખાખરીયા વગેરે એ જહેમત ઉઠાવેલ હતી. સેવાકિય કામની ગામમાં સરાહના થઇ હતી. યજમાન દંપતી ' રમણીકભાઇ કાનપરીયા'' વીઠ્ઠલભાઇ પટોળીયા, લાલજીભાઇ પાનસુરીયા, ભીમજીભાઇ ભુંધવા, નિતેશ વાછાણી, વીપુલભાઇ વસોયા વગેરે યજ્ઞકાર્યના મુખ્ય યજમાન હતા. માતાજીના ગોઠી ભુવા જેઠાભાઇ રાદડીયા હતા.

(12:01 pm IST)