Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

મહુવામાં વીએચપીના પ્રમુખ જયેશ ગુજરીયાની છરીના ઘા ઝીકી કરપીણ હત્યા :અન્ય એક ગંભીર

અજાણ્યા સાત શખ્શો તૂટી પડયા :ભરેલો અગ્નિ :પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

ભાવનગરઃ મહુવાના વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખની છરીના ઘા ઝીકી કરપીણ હત્યા કરવામાં આવી છે. વીએચપીના પ્રમુખ જયેશ ગુજરીયાની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. બે વ્યક્તિ પર હુમલો થયો હતો. એકની હાલત ગંભીર છે

   . વીએચપીના પ્રમુખની હત્યા થવાથી વાતાવરણ તંગ બની ગયું છે. જાણવા મળ્યા મુજબ સાતેક જેટલા અજાણ્યા શખ્સોએ આ કૃત્ય કર્યું છે. પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. પ્રમુખ સહિત બે લોકો પર હુમલો થયો હતો. જેમાં પ્રમુખની હત્યા જ્યારે બીજો વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. 

(1:25 am IST)