Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

કેશોદ બ્રહ્મ નવરાત્રી ૨૨ નાં પ્રવેશ પાસનું કેશોદના બ્રહ્મર્ષી વિનય વ્‍યાસજી સહિતના આગેવાનોનાં હસ્‍તે અનાવરણ

(કિશોરભાઈ દેવાણી ધ્‍વારા) કેશોદઃ  સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા નવરાત્રી મહોત્‍સવનું ભવ્‍ય આયોજન ઔદીચ્‍ય ગોહિલવાડી બ્રહ્મ સમાજ  વાડીમાં કરવામાં આવ્‍યું છે. ખૈલયાઓનાં પ્રવેશ પાસનું અનાવરણ વિધિ ચાંદીગઢના પાટીએ આવેલાં વિનય આશ્રમ ખાતે બ્રહ્મર્ષી વિનય વ્‍યાસજી, શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરનાં પુજારી પંકજભાઈ મહેતા, સમસ્‍ત બ્રહ્મસમાજ નાં મેનેજીંગ ટ્રસ્‍ટી મુકેશભાઈ સાતા સહિતના આગેવાનો નાં હસ્‍તે કરવામાં આવ્‍યું હતુ. કેશોદ શહેરમાં સમસ્‍ત બ્રહ્મસમાજ નાં પરિવારજનો માટે નવરાત્રી ૨૨ નું આયોજન કરવામાં આવ્‍યુછે. જેમાં નવલાં નોરતાંમાં સૌ ભૂદેવો માતાજીની આરાધના કરી પ્રાર્થના કરશે અને નવરાત્રી મહોત્‍સવનું લાઈવ પ્રસારણ જીટીપીએલ નાં ડાયરેક્‍ટર હરદેવસિંહ રાયજાદા નાં સહયોગથી લોકલ ચેનલ ૩૫૧ પર કરવામાં આવશે.

(1:26 pm IST)