Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

પોરબંદરમાં માછીમાર સમાજને ડીઝલ સહિત વિવિધ પ્રશ્ને અન્‍યાય સામે કોંગ્રેસ દ્વારા મહારેલી અને ધરણા યોજાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.ર૪ : માછીમારા સમાજને અપાતા સબસીડીવાળા ડીઝલ જથ્‍થામાં કાપ તેમજ બંદરકાંઠે ડ્રેજીંગ સહિત વિવિધ પ્રશ્ને અન્‍યાય સામે કોંગ્રેસ દ્વારા મહારેલી અને ધરણા યોજીને ત્‍યારબાદ મુખ્‍યમંત્રીને સંબોધન કરતું આવેદનપત્ર મોકલી આપ્‍યું છે.

માચ્‍છીમારોના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા મુખ્‍યમંત્રીને મોકલી આપેલા આવેદનમા ં જણાવેલ કે ગુજરાતમાં ભાજપ સરકાર આવ્‍યા પછી માછીમારોની હાલત કફોળી થઇ ગઇ છે. માછીમારોને મળતું બલ્‍ક ડીઝલ ૧૦૦ રૂા.એ પહોંચી ગયું છે કોંગ્રેસના શાસનમાં જ પેટ્રોલ પમ્‍પ ઉપર જ ડીઝલ ઉપર અપતાની સબસીડી બાદ કરીને માછીમારોને આપવામાં આવતી હતી. જે પુનઃશરૂ કરવું જોઇએ.

માછીમારોને પમ્‍પ ઉપર પુરા પૈસા ચુકવવા પડે છ.ે વર્ષ દિવસ સુધી  સબસીડીના પૈસા માછીમારોને આપવામાં આવતા નથી. તેથી માછીમારોને નાણાકીય તકલીફો બહુજ પડે છે. કોંગ્રેસના સમયમાં ડ્રેજીંગ ગુજરાત મેરીટાઇમ બોર્ડના ડ્રેજર દ્વારા નિયમીત કરાતું હતું. પરંતુ બાબુભાઇ મત્‍સયઉદ્યોગ મંત્રી થયા પછી પ્રાઇવેટ કોન્‍ટ્રાકટર પાસે ડ્રેજીંગ કામ શરૂ કરાવ્‍યું છે. ડ્રેજીંગ જે જગ્‍યાએ કરવાનું છે. તે જગ્‍યાને બદલે અન્‍ય જગ્‍યાએથી રેતી ઉપાડીને વેચવામાં આવી રહી છે.

જયારે અર્જુનભાઇ મોઢવાડીયા ધારાસભ્‍ય હતા ત્‍યારે બંદર વિસ્‍તારમા લાઇટ માટે નાખેલ ટાવરો બંધ હાલતમાં છે. જુની એ.સી.સી.એરીયામં કુબેર ક્રશરની બાજુના એરીયામાં લાઇટ ન હોવાથ બોટમાં ચોરીના બનાવો બને છે.

કોંગ્રેસના શાસનમા ં બોટોને લાઇફ ટાઇમ લાયસન્‍સ આપવામાં આવતા હતા તે હવે દર ૩ વર્ષે રીન્‍યુ કરાવવા પડે છે. રીન્‍યુ માટેની સતા વેરાવળ આપેલ છે. લાયસન્‍સ ફ્રી પણ ભાજપે અનેક ગણી કરી નાખી છે ભાજપ આવ્‍યા પછી બોટોને આવવા જવા માટે ઓનલાઇન એન્‍ટ્રી સીમસ્‍ટમ કરી નાખી છે. ૭૦% માછીમારો અભણ છે. અને સર્વર ડાઉન હોવાને કારણે ઓનલાઇનમાં તકલીફ પડે છે. માછીમારોને ખોટા દંડ ભરવા પડે છે. ઓનલાઇન સીસ્‍ટમ તાત્‍કાલીક રદ કરવી જોઇએ. સાગર ખેડુઓ ૪ થી પ લાખ રૂ.નો ખર્ચ કરીને બોટને ફીશીંગમાં મોકલતા હોય છે. ખરાબ હવામાનની આગાહી વખતે બોટોને ફરીજયાદ પણે પાછી બોલાવે છે. તેથી સાગરખેડુઓને મોટુ નુકશાન જાય છે. આવા કિસ્‍સામાં સરકારે બોટ માલીકોને પુરતું વળતર આપવું જોઇએ તેમ કોંગ્રેસ દ્વારા આવેદન પત્રમાં જણાવેલ નથી.

અગાઉ જેટીમાં નુકશાન થાય તો તાત્‍કાલીક રિપેર થઇ જતું હતું. હવે માછીમારોને જાતે રિપેરીંગ કરવું પડે છે. સાગર ખેડુત ભાઇઓની બોટો જયારે દરિયામાં આઇ.એમ.બી.સી.દ્વારા પકડવામાં આવે છે ત્‍યારે તેમને સ્‍થળ ઉપર જ મુકત કરીને નિરાકરણ લાવવું જોઇએ.

સાગર ખેડુત ભાઇઓને પાકિસ્‍તાન દ્વારા જયારે બંધક બનાવામાં આવે છે ત્‍યારે ખરેખર માચ્‍છીમાર કરતી બોટો હોય તેને સ્‍થળ જ ખરાઇ કરી ભારત સરકારને પાકિસ્‍તાન સરકાર દ્વારા એકબીજી બોટોને અને ખલાસીને મુકત કરી આપવા જોઇએ.

સાવર ખેડુત ભાઇઓ કોંગ્રેસ સરકાર ૧૯૮૦ થી ૧૯૮પમાં જયારે માધવસિંહજી સોલંકી મુખ્‍યમંત્રી હતા ત્‍યારે માચ્‍છીમાર ભાઇઓના દેવા માફ કરી આપ્‍યા હતા. તેજ રીતે માચ્‍છીમાર ભાઇઓને દેવા માફ કરી આપવા જોઇએ. સાગરખેડુ ભાઇઓ ફીશીંગ કરવા માટે દુર-દુર જવુ પડે છે તેવા સમયે બોટોને ડિઝલનો વાર્ષિક કવોટા ૪૩,૦૦૦ હજાર આપવો જોઇએ. પીલાણા નાની બોટોની મશીનની સબસીડી બાકી હોય તેવા માચ્‍છીમાર ભાઇઓને તાત્‍કાલીક રકમ ચુકવી આપવી જોઇએ.  પીલાણા પેટ્રોલ ઉપર પ૦% સબસીડી આપવી જોઇએ.  કોંગ્રેસ સરકાર દ્વારા માચ્‍છીમાર ભાઇઓ, ફીશીંગ માટે જરૂરી માલ સામાન કરમુકત હતો અત્‍યારના ભાજપ સરકાર દ્વારા દરેક માચ્‍છીમારને વપરાતા માલસામાનમાં જી.એસ.ટી.લાગુ કર્યું છે તે કરમુકત કરવું જોઇએ છે. તેમ કોંગ્રેસ દ્વારા મુખ્‍યમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવેલ છે.

(1:19 pm IST)