Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

જુનાગઢ બ્રહ્મસમાજ દ્વારા ત્રણ સ્‍થળોએ નવરાત્રી મહોત્‍સવ

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મસમાજ બાલાજી ફાર્મ સતત બ્રહ્મ યુવા સંગઠન કૈલાશ ફાર્મ શ્રી ગૌડ માળવીય બ્રહ્મસમજ દ્વારા ભુતનાથ મહાદેવના ગ્રાઉન્‍ડમાં રાસોત્‍સવ

(વિનુ જોષી દ્વરા) જુનાગઢ, તા., ર૪:  જુનાગઢ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત  બ્રહ્મસમાજ દ્વારા ચોબારી ફાટક પાસે બાલાજી ફાર્મ ખાતે બ્રહ્મ રાસોત્‍સવ તથા શ્રી સહષાચંડી હોમાત્‍મક યજ્ઞનું આયોજન કરાય છે.

જુનાગઢ જીલ્લા સમસ્‍ત બ્રહ્મસમાજના પ્રમુખ કે.ડી.પંડયા મહાનગર પ્રમુખ પ્રફુલભાઇ જોષી અને શહેર ભાજપના પ્રમુખ પુનીતભાઇ શર્માના માર્ગદર્શન હેઠળ શૈલેષભાઇ રવિયા પ્રોજેકટ ચેરમેન રૂપલબેન લખલાણી શાષાી નરેન્‍દ્ર પ્રસાદ જોષી, મેહુલ દવે, શૈલેષ પંડયા, મહેશભાઇ જોષી અને સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે અને મયુર દવે (લોકગાયક) અને તેની ટીમ નવનવ દી ખેલૈયાઓ સાથે રમઝટ બોલાવશે.

શ્રી કે.ડી.પંડયાએ જણાવ્‍યું કે સમસ્‍ત બ્રહ્મ પરીવાર માટે તદન ફ્રી રાખવામાં આવેલ છે.  પરંતુ વ્‍યવસ્‍થાના ભાગ રૂપે પાસ મેળવી લેવા અને આધારકાર્ડ  અવશ્‍ય સાથે રાખવા જણાવ્‍યુ છે. આ નવરાત્રી મહોત્‍સવમાં છેલભાઇ જોષી, હસુભાઇ જોષી સહીત સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહેશે. તેમજ જોષીપરાના ખલીલપુર રોડ સ્‍થિત કૈલાશ ફાર્મ ખાતે સમસ્‍ત બ્રહ્મયુવા સંગઠનના સંસ્‍થાપક જયદેવભાઇ જોષી, કાર્તીક ઠાકર, પ્રમુખ વિશાલ જોષી અને તેની ટીમ દ્વારા પરશુરામ ધામના નિર્માણ અંગે યોગદાન આપવા નવરાત્રીના સિઝન પાસનું વિતરણ કરાયું છે. જેનો સમાજ દ્વારા બહોળો પ્રતિસાદ મળ્‍યો છે.

જયદેવભાઇ જોષીએ જણાવ્‍યું હતુ કે લાબાડીયા ગૃપ ઓરક્રેસ્‍ટ્રાની સાથે ખેલૈયાઓ સાથે નવ નવ દિવસ સુધી રાસની રમઝટ બોલાવશે અને બે વર્ષ પછી થતી આ નવરાત્રીને લઇ ભુદેવ પરીવારોમાં ખુબ ઉત્‍સાહ પ્રવર્તી રહયો છે.

જુનાગઢ ભુતનાથ મહાદેવના પટાંગણમાંથી સોરઠીય શ્રી ગૌડ માળવીય બ્રહ્મસેવા સમીતી દ્વારા નવરાત્રી રાસોત્‍સવનું આયોજન કરાયુ છે. જેમાં સંયોજક શૈલેષભાઇ દવે, મહેન્‍દ્રભાઇ ભટ્ટ પત્રકાર, ધીરૂભાઇ પુરોહીત, સનતભાઇ પંડયા, પ્રોજેકટ ચેરમેન આકાશભાઇ દવે, કેતનભાઇ ભટ્ટ, વિરાજભાઇ પંડયા, હિતેષભાઇ પુરોહીતના માર્ગદર્શન હેઠળ પ્રતિભાબેન પુરોહીત, સ્‍મિતાબેન દવે, જાગુબેન પુરોહીત, દક્ષાબેન ભટ્ટ, જયશ્રીબેન પંડયા, જેસલબેન દવે સહીત સમીતીના સભ્‍યો જહેમત ઉઠાવી રહયા છે.

૨૬ સપ્‍ટે.થી પ ઓકટો. સુધી યોજાનાર આ નવરાત્રી મહોત્‍સવમાં રાજયના પુર્વ મુ.મંત્રી વિજયભાઇ રૂપાણી, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્‍ય ભીખાભાઇ જોષી સહીતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે. આ રાસોત્‍સવમાં દિલ્‍હીથી ખાસ મીસ યુનિવર્સ રૂબી યાદવ  તા.ર૮ના રોજ ત્રીજા નોરતે ઉપસ્‍થિત રહી ખેલૈયાનો ઉત્‍સાહ વધારશે તેમજ ગુજરાતી ફિલ્‍મના હિરો પણ ઉપસ્‍થિત રહેનાર છે. આ રાસોત્‍સવની સફળતા માટે સમગ્ર ટીમ દ્વારા આખરી ઓપ અપાઇ રહયો છે.

(1:12 pm IST)