Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

કચ્છના રાયધણજર ગામે ઘેટાં બકરાં મોત થતાં હતાશ થયેલા માલધારીએ જીવ દીધો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ : કચ્છના અબડાસા તાલુકાના રાયધણજર ગામે પોતાના ૧૦૦ જેટલા ઘેટાં બકરાં ના મોત થતાં માલધારીએ પોતાનો જીવ દઈ દીધો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ૪૦ વર્ષીય પશુપાલક માલધારી કાસમ ઈસ્માઈલ ખલીફાએ ઝાડમાં લટકી ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ દઈ દીધો હતો. મૃતક માલધારી પોતાના ઘેટાં બકરાં ના મોત બાદ હતાશ હોઈ તેણે આપઘાત કરી લીધો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:00 am IST)