Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

જુનાગઢ જિલ્લામાં કોરોના કેસનો કુલ આંક રપ૦૦ને પાર

જુનાગઢ સીટીમાં કોરોના કેસનો સતત વધારો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૪ : જુનાગઢ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ કુલ આંક રપ૦૦ને પાર થઇ ગયો છે અને હજુ પણ કેસ વધવામાં હોય કોરોના દર્દીની સંખ્યા ટુંક સમયમાં ૩૦૦૦ થઇ જવાની શકયતા પ્રવર્તે છે.

જિલ્લામાં બુધવારે વધુ ૩૮ નવા કેસ નોંધાયા હતા. જેમાં જુનાગઢ સીટીનાં જ ૧૯ કેસનો સમાવેશ થાય છે. જુનાગઢમાં પોઝીટીવ કેસ ચિંતાજનક રીતે વધી રહયા છે. આથી લોકોએ હજુ વધુ સાવચેતી રાખવાની આવશ્યકતા છે.

ગઇકાલે માણાવદર તથા કેશોદ તાલુકામાં નવા છ-છ કેસ, વંથલીમાં ત્રણ, માળીયા બે અને જુનાગઢ રૂરલ, વિસાવદર તાલુકામાં ૧-૧ કેસનો ઉમેરો થયો છે. નવા ૩૮ કેસની સામે રપ દર્દી ડિસ્ચાર્જ થયા હતા.

(12:57 pm IST)