Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

જામનગરમાં પરોઢિયે ૧.૭નો આંચકો

ગઇકાલે બે કંપન અનુભવાયેલ : કેન્દ્રબિંદુ ૨૩ કિ.મી. દૂર : લોકોમાં ભય

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૪ : જામનગર જિલ્લામાં મોડીરાત્રે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભય પ્રસરી ગયો હતો.  જામનગરના ગ્રામ્ય પંથકમાં રાત્રે ૩ૅં ૪૪ કલાકે ૧.૭ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ જામનગરથી ૨૩ કિલોમીટર દૂર નોંધાયું હતું. ગઇકાલે પણ જામનગર જિલ્લામાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા આજે વધુ એક આંચકાથી લોકોમાં ભય પ્રસરી ગયો છે.

(11:29 am IST)