Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

કચ્છમાં કોરોનાનો કાતિલ પંજો : વધુ બે મોત સાથે ૩૩ નવા દર્દીઓ

બિન સત્તાવાર મોતનો આંક ૧૦૩ થયો : કોરોનાનું સંક્રમણ અને દર્દીઓ વધ્યા

ભુજ,તા.૨૪:  સરકાર દ્વારા અપાયેલી છુટછાટ વચ્ચે લોકોમાં વર્તાતી સ્વૈચ્છિક જાગૃતિના અભાવે કોરોનાનું સંક્રમણ અને દર્દીઓ વધી રહ્યા છે. નવા ૩૩ દર્દીઓ સાથે અત્યાર સુધી કુલ દર્દીઓની સંખ્યા વધીને ૧૯૦૮ થઈ છે. સાજા થનાર દર્દીઓનો આંક ૧૪૨૭ છે. જોકે, ચિંતાજનક વાત એકિટવ કેસ વધ્યાની છે. એકિટવ કેસની આંકડો ઉછળીને ૩૭૮ ઉપર પહોંચ્યો છે. તો, મોતનો આંક પણ વધી રહ્યો છે. કોરોનાએ વધુ બે દર્દીઓનો ભોગ લેતાં સરકારી ચોપડે મોતની સંખ્યા ૬૨ થઈ છે. જયારે બિન સત્ત્।ાવાર મોતનો આંક ૧૦૩ થયો છે.

(11:30 am IST)