Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

કચ્છમાં કોરોનાથી બે દર્દીના મોત :ભુજમાં 12 અને ગાંધીધામમાં વધુ 10 કેસ સાથે વધુ 33 કેસ નોંધાયા

અંજારમાં 4 કેસ, માંડવીમાં બે કેસ અને ભચાઉ, લખપત, મુન્દ્રા, નખત્રાણા અને રાપરમાં એક એક કેસ નોંધાયો

ભુજમાં 12 અને ગાંધીધામમાં 10 નવા કેસ સાથે કચ્છમાં આજે કોરોનાના વધુ 33 કેસ નોંધાયા છે. બે દર્દીના મોત નીપજ્યાં છે. ભુજ શહેરમાં 10 અને તાલુકામાં 2 મળી 12 કેસ છે. ગાંધીધામ શહેરમાં 10 કેસ નોંધાયાં છે. અંજાર શહેરમાં 3 અને તાલુકામાં 1 મળી 4, માંડવી શહેર અને તાલુકામાં એક-એક મળી 2, ભચાઉ શહેરમાં 1 કેસ નોંધાયા છે. લખપત, મુંદરા, નખત્રાણા અને રાપર તાલુકામાં એક-એક કેસ નોંધાયાં છે.

નવા 33 કેસ સાથે કોરોનાના કુલ દર્દીનો આંકડો 1908 પર પહોંચી ગયો છે. જેમાંથી હાલ એક્ટિવ પોઝીટીવ કેસનો આંકડો 378 પર પહોંચ્યો છે. 1427 દર્દી સાજા થઈ ચૂક્યાં છે. વધુ બે મોત સાથે સત્તાવાર મરણાંક 62 પર પહોંચ્યો છે. ભુજમાં સતત વધી રહેલાં સંક્રમણના પગલે જી.કે. જનરલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધવા માંડી છે

(8:48 am IST)