Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

મોરબી લોહાણા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

 મોરબી રઘુવંશી યુવક મંડળ દ્વારા પ્રતિવર્ષ લોહાણા સમાજ ના ધો-૯ થી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શૈક્ષણીક સિધ્ધિઓને બિરદાવવા સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ધો-૯ થી ઉચ્ચ અભ્યાસ કરતા કુલ ૧૭૧ વિદ્યાર્થીઓને તેમની ઉચ્ચ શૈક્ષણીક સિધ્ધિ બદલ શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામા આવ્યા હતા. આ તકે લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, કૈલાશબેન કનુભાઈ પંડીત તથા યુવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જય પંકજભાઈ સેજપાલ સહીત ના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પંકજભાઈ ચંડીભમર, ઉપપ્રમુખ ડેનિશભાઈ કાનાબાર, સેક્રેટરી જયેશ કોટેચા, પ્રો.ચેરમેન હરેશ કાનાબાર, રવિ કોટેચા, યોગેશ માણેક, પરિમલ ઠક્કર, કમલેશ ખંધેડીયા, ભરત રાચ્છ, ધર્મેશ ગંદા, જયેશ ચંદારાણા, દીનેશ જોબનપુત્રા, મનોજ કોટક, સુનિલ ચંદારાણા,પ્રશાંત સેતા,સંદીપ ખગ્રામ, રોનક કારીયા, વિરેન પુજારા, દક્ષેશ માણેક, જયદીપ બારા, પરાગ હાલાણી સહીતનાઓ એ જહેમત ઉઠાવી હતી તેમ લોહાણા સમાજ અગ્રણી નિર્મિત કક્કડે યાદીમા જણાવ્યુ છે.

(1:18 pm IST)