Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

જાુનાગઢમાં કૈલાસ માન સરોવરની યાત્રા કરનાર દંપતિનું સન્માન

જાુનાગઢઃ શ્રી સમસ્ત બ્રહ્મયુવા સંગઠન મહિલા પાંખ દ્વારા ગોપાલકૃષ્ણ ટ્રસ્ટ મણિભુવન ગાંધીગ્રામ ફાટક પાસે વેલકમ નવરાત્રી ર૦૧૯ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાસગરબા સ્પર્ધા અને સન્માન સમારોહ યોજાયો હતો. તેમાં તાજેતરમાં કૈલાશ માન સરોવરની યાત્રા કરવા બદલ બ્રહ્મ સમાજના અગ્રણી અને દાતારેશ્વર, એજન્સી ના ડાયરેકટર શ્રી જીતુભાઇ પંડયા અને ચેતનાબેન પંડયાનું મહિલા પાંખના ગીતાબેન જોષી, અને તેમની ટીમ રીંકલબેન મહેતા, રાજેશ્વરીબેન જોષી, પુર્ણિમાબેન રાવલ, નિલમબેન ઠાકર, ગાયત્રીબેન જોષી સહિતનાએ આ પંડયા દંપતિનું સન્માન કર્યું હતું ઉપરોકત તસ્વીરમાં જીતુભાઇ પંડયા અને ચેતનાબેનનું સન્માન કરતા મહિલા પાંખના ગીતાબેન જોષી અને તેની ટીમ તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવ જોષી, કાર્તિક ઠાકર, આશિષ રાવલ તેમજ આરતીબેન જોષી, વિણાબેન પંડયા, પલ્લવીબેન ઠાકર વગેરે નજરે પડે છે. (અહેવાલ-વિનુ જોષી, તસ્વીર-મુકેશ વાઘેલા-જાુનાગઢ)

(1:12 pm IST)