Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

જસદણના સેવાભાવીનું વાંકાનેર પાસે ડુબી જવાથી મોત થતા અરેરાટી

જસદણ તા ૨૪ : જસદણના સેવાભાવી મુળજીભાઇ પુંજાભાઇ પરમાર (ઉ.વ.૫૦) નું વાંકાનેર તાબેના હડમતીયા પાલણપીરના મેળાની બાજુમાં ન્હાવા માટે જતાં ત્યાં તેમનું મૃત્યું થતા સોમવારે મોડી સાંજે તેમના મૃતદહ જસદણ આવતા ભારે આક્રંદ છવાયો હતો.

મુળજીભાઇ પાલણપીરના મેળામાં સેવા આપવા માટે ગયેલા ત્યાં અચાનક આ બનાવની જસદણ તેમના પરિવારજનોને જાણ થતાં ઘરમાં માતમ છવાયો હતો.

આ અંગે તેમના સંબધી રાજુભાઇ બાવાભાઇ પરમારે જણાવ્યું કે મૃતકને બે સંતાન છે મૃતક સેન્ટીંગ કામનું મજુરી કરતા ત્યારે રાજય સરકારે મૃતકના પરીવારજનોને વધુ ને વધુ નાણાકીય મદદ કરવી જોઇએ.

(11:38 am IST)