Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ગારીયાધારમાં વિવિધ સ્થળે પ્રતિમાઓ મુકવા કોળી સમાજ દ્વારા આવેદન

ગારીયાધાર,તા.૨૪: ગારીયાધાર કોળી સમાજ દ્વારા આજ રોજ મામલતદારને વિવિધ પ્રતિમાઓની માંગણીઓ અને નાણાં ફાળવણી માટે આજરોજ આવેદન પત્ર પાઠવાયું હતુ.

ગારીયાધાર શહેરના રૂપાવટી રોડ, સરીતા સોસાયટી મઢુલી પાસે ભૈરવનાથ ચોક, મીઠા કુવા ચોક પાસે એક પણ પ્રતિમા નથી આ વિસ્તારમાં કોળી સમાજની રહેણાંકી વસ્તી હોવાથી અહિં વીર મોંધાતા,ભગવાન બુધ્ધ અને સંત વેલનાથની પ્રતિમાઓ મુકવાની માંગણી કરવામાં આવી છે. ન.પા. દ્વારા આ પ્રતિમા માટે નાણાની ફાળવણી ૧૪માં નાણા પંચમાંથી ફાળવવાની પણ માંગણી આ આવેદનપત્રમાં પાઠવવામાં આવી હતી.

(11:36 am IST)