Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ઓઇલ પેઇન્ટ અને બ્રશથી ૩૦૦૦ પાનાંનું રામચરિત માનસ લખ્યું

જયપુર તા. ર૪: જયપુરમાં રહેતા શરદ માથુર નામના એક કલાકારે રામચરિત માનસ હાથેથી લખીને તૈયાર કરી છે. એ માટે શરદે ઓઇલ પેઇન્ટ અને બ્રશનો ઉપયોગ કર્યો હતો. ર૧ ખંડોમાં લખાયેલી રામચરિત માનસનું કુલ વજન ૧પ૦ કિલો જેટલું છે. પેઇન્ટની મદદથી રામચરિત માનસ લખવામાં તેને ખૂબ વાર લાગતી હતી. રોજના ત્રણથી પાંચ કલાક તે લખતા અને એમાં માત્ર બે પાનાં જ લખી શકાતા હતા. ર૦૧૩માં લખવાનું કામ શરૂ થયેલું જે લાગલગાટ છ વર્ષ સુધી ચાલ્યું. શરદ માથુરની ઇચ્છા છે કે હસ્તલિખિત રામચરિત માનસને રામમંદિર બને ત્યારે ત્યાં મુકવામાં આવે.

(11:34 am IST)