Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

સાવરકુંડલાના પનોતા પુત્ર અને પોરબંદર જીલ્લા શિક્ષણ અધિકારી ડો. અલ્તાફ રાઠોડનું પોરબંદર મુસ્લીમ સમાજ દ્વારા સન્માન

સાવરકુંડલા : સાવરકુંડલાના પનોતા પુત્ર અને પોરબંદર જીલ્લા શિક્ષણ અધિકારી ડો. અલ્તાફભાઇ રાઠોડને પોરબંદર અંજુમને ઇસ્લામ જમાતના વહીવટદાર તરીકે વકફ બોર્ડ દ્વારા નિમણુક કરવામાં આવતા પોરબંદર ઓલ મુસ્લીમ સમાજ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. ડો. રાઠોડ દ્વારા અંજુમને ઇસ્લામ જમાતમાં આંતરિક વિવાદનો અંત લાવી વહીવટી બાબતને ચોખી અને પારદર્શકતા સાથે સમાજ પ્રગતિ તરફનો માર્ગ બતાવી સુલેહ કરવા અંગેની જવાબદારી આપવામાં આવી છે. ડો. અલ્તાફભાઇ રાઠોડની કુનેહ આવડત અને વહીવટી ક્ષમતાના કારણે હવે પોરબંદરનો અંજુમને ઇસ્લામ સમાજમાં સારા દિવસોના શુભારંભ થશે તેવી આશાઓ વ્યકત થઇ રહી છે. (તસ્વીર - અહેવાલ : ઇકબાલ ગોરી, સાવરકુંડલા)

(1:10 pm IST)