Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

જેતપુરમાં મોચી જ્ઞાતિના તારલાઓનું સન્માન

 સૌરાષ્ટ્ર કચ્છ મોચી જ્ઞાતિ મહામંડળ દ્વારા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનીત કરવાનો એક સમારોહ તાજતેરમાં  જેતપુર ખાતે યોજાયો હતો. ઉદ્દઘાટક તરીકે મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, મુખ્ય મહેમાન તરીકે શ્રી ધડુક, પ્રમુખ સ્થાને ઘનશ્યામભાઇ પરમાર, મુખ્ય યજમાન તરીકે સુરેશભાઇ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં ૮૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ, મેડલ, કીટ, પ્રમાણપત્ર અને રોકડ રકમ આપી સન્માન કરાયુ હતુ. વાંકાનેર, માંગરોળ, રાજકોટ, ગોંડલ, જામનગર, દામનગર, ચોટીલા, ભાવનગર, શિહોર, મોરબી, કાલાવડ, જસદણ, જેતપુર, અમદાવાદ, જુનાગઢ, ધોરાજી વગેરે સ્થળોએથી જ્ઞાતિ આગેવાનો અને વિદ્યાર્થી-વાલી સમુદાયે હાજરી આપી હતી. સમગ્ર સભાનું સંચાલન ભરતભાઇ ચુડાસમા અને ખજાનચી શ્રી પરમારે કરેલ.   તેમ સત્સંગી સેવક અને જ્ઞાતિ પ્રચાર મંત્રી મનસુખભાઇ પરમારની યાદીમાં જણાવાયુ છે.

(12:14 pm IST)