Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

સાવરકુંડલામાં રૂકશાના કાઝીએ એસિડ પીધું: રાજકોટમાં દમ તોડ્યો

ત્રણ વર્ષ પહેલા શાદી થઇ'તીઃ માસુમ પુત્રી મા વિહોણી થતાં પરિવારમાં માતમ

રાજકોટ તા. ૨૩: સાવરકુંડલામાં મણીનગર અબુબકરની મસ્જીદ પાસે રહેતી રૂકશાના રૂસ્તમ કાઝી (ઉ.૨૬) નામની પરિણીતાએ ચાર દિવસ પહેલા એસિડ પી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. તેનું મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

રૂકશાનાએ ગયા શુક્રવારે એસિડ પી લેતાં સાવરકુંડલા સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી. અહિ રવિવારે સાંજે દમ તોડી દેતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક કાગળો કરી સાવરકુંડલા પોલીસને જાણ કરાઇ હતી.

મૃત્યુ પામનાર રૂકશાનાની શાદી ત્રણ વર્ષ પહેલા થઇ હતી. સંતાનમાં એક પુત્રી છે. આ માસુમ પુત્રી મા વિહોણી થઇ ગઇ છે. તેણીના માવતર સાવરકુંડલામાં જ રહે છે અને ીપતાનું નામ આસિફમિંયા મજીદમિંયા કાદરી છે. એસિડ શા માટે પીધું? તે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:00 pm IST)