Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

પોરબંદરમાં ગેરકાયદે બાંધકામ સામે સ્ટેનું મનદુઃખ રાખીને મકાન અને વાહનોમા તોડફોડ

બારીના કાચ અને વાહનોમાં તોડફોડ કરતા ૧ લાખનું નુકસાન

પોરબંદર તા.૨૪: અગાઉ ગેરકાયદે બાંધકામ સામે સ્ટેનું મનદુઃખ રાખીને લાકડી ધોકા વડે મકાન અને વાહનોમાં તોડફોડ કરી ૧ લાખનું નુકસાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

કુંભારવાડામાં રહેતા ઝુલેખાબેન અલીમભાઇ સુર્યાએ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં નોંધવેલી ફરિયાદમાં જણાવેલ છે કે હામીદ યુસુફ પુંજાણી અને તોસીફ સતાર આમદાણી રે.મેમણવાડા સહિત ૨૫ થી ૩૦ આરોપીઓએ પોતાના પતિ મેમણ જમાતમાં હોય તે કારણથી ઘેર આવીને લાકડી ધોકા વડે વાહનો તથા મકાનની બારીના કાચ તોડીને એકાદ લાખનું નુકસાન કરેલ છે.

પોલીસ ફરિયાદમાં જણાવેલ કે ઝુલેખાબેન આર ટી.આઇ એકટીવીસ્ટ હોય અને સામેવાળા સતાર મૌલાનાના પુત્રએ ચોપાટી સામે કનકાઇ મંદિર નજીક ગેરકાયદે બાંધકામ સામે પતિ સલામ સુર્યાએ સ્ટે લાવેલ હોય તેનુ મનદુઃખ  તેમજ વકફ બોર્ડમાં છેલ્લા ૨૩ વર્ષથી હિસાબ માગતા તે ફરિયાદ વકફ બોર્ડમાં કરીને અન્ય માહીતી માંગતા આરોપી સલીમના ઘેર આવીને હુમલો કરવા દોડી આવેલ સલીમ બહારગામ હોય તે હાથ આવેલ નહી તેના ઉપર જાન ઉપર જોખમ હતું.

(3:29 pm IST)