Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

જૂનાગઢશ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર દ્વારા જળ ઝીલણી મહોત્સવની ઉજવણી

જૂનાગઢ : જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્યમંદિર દ્વારા ભાદરવા સુદ એકાદશીને જળજીલણી એકાદશી તરીકે ઉજવવામાં આવેલ. જેમાં ગણપતિ દાદાની ઝાંખી સંતો ભકતો જોડાયા અને દામોદર કુંડ નજીક નારાયણ ઘર ખાતે જળમાં ભગવાન શ્રી હરિકૃષ્ણ લાલજીને નાવમાં જળ વિહરણ સ્નાન અને પૂજન આરતી કરવામાં આવેલ જે તસ્વીરી ઝલકમાં મંદિરના મુખ્ય કોઠારી શ્રી પ્રેમ સ્વરૂપદાસજી, સંતો અને ભકતોને પ્રવચન આપી રહ્યા છે. તેમજ આ મહોત્સવમાં ઉપસ્થિત રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન જાદવભાઇ ચાવડા, ટ્રસ્ટી દલાલભાઇ બામટા અને નૌકા વિહાર કરતા ભગવાન સાથે હરિભકતો નજરે પડે છે. (તસ્વીર : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)(૨૧.૧૯)

(12:07 pm IST)