Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

અમરેલી જિલ્લા ભાજપ અને પ્રદેશ કિશાન મોરચામાં કવાડિયા પ્રભારી

રાજકોટ, તા. ૨૪ :. ભાજપ હાઈકમાન્ડ દ્વારા પૂર્વ પંચાયત મંત્રી શ્રી જયંતીભાઈ કવાડિયાને સંગઠન ક્ષેત્રે બે મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

શ્રી કવાડિયાને કિશાન મોરચાના સમગ્ર રાજ્યના પ્રભારી બનાવવામાં આવ્યા છે. કિશાનોના પ્રશ્નો અને સંગઠન માટે આ મોરચાની મહત્વની ભૂમિકા રહે છે. ઉપરાંત અમરેલી જિલ્લાના પાર્ટી સંગઠનના પ્રભારી તરીકે પણ તેમને જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ અમરેલી લોકસભા ક્ષેત્રની પ્રભારી ટીમમાં સભ્ય પદે અગાઉથી જ નિયુકત થયેલા છે. શ્રી કવાડિયા સંગઠન અને સત્તા ક્ષેત્રે વર્ષોના અનુભવી છે. તેમને બે નવી જવાબદારી સોંપાતા અભિનંદન વર્ષા (મો. ૯૯૭૮૪ ૦૫૯૭૭) થઈ રહી છે.(૨-૩)

(11:59 am IST)