Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ગોંડલ શહેર તાલુકા સમસ્ત બ્રર્હ્મસમાજ દ્વારા નવા વર્ષના હોદેદારોની નિમણુંક

મા અમૃતમ-વાત્સલ્ય કાર્ડ કઢાવવાની કાર્યવાહી ચાલુ

ગોંડલ, તા.૨૪: શહેર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા નવા વર્ષના હોદ્દેદારોની નિમણુંક જાહેર કરાઇ હતી. વધુમાં બૃમ્હસમાજનાં આર્થિક નબળા પરીવારો માટે માં અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ માટે કાર્ય ચાલું હોય લાભ લેવા જણાવાયું છે.

બ્રહ્મસમાજનાં  ચેરમેન પુ.ઘનશ્યામજી,  વાઇસ ચેરમેન રવિદર્શનજી તથા જીતુભાઈ આચાર્ય ની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં પ્રમુખ ગિરીશભાઈ રાવલે નવા વર્ષ ના હોદ્દેદારો ની નિમણુંક જાહેર કરાઇ હતી જેમાં ઉપપ્રમુખ વિજયભાઈ ભટ્ટ, જયેશભાઈ દવે (સુલતાનપુર)મહામંત્રી યોગેન્દ્રભાઇ જોશી,મંત્રી જૈમીનભાઇ ભટ્ટ,ચંદ્રેશ પંડ્યા (શિવરાજગઢ)ખજાનચી પરેશ ભટ્ટ ની નિમણુંક કરાઇ છે. જયારે કારોબારીમાં તમામ તળગોળનાં હોદ્દેદારોની નિમણુંક કરાઇ છે.વધુમાં યુવાપાંખ,મહીલાપાંખ ઉપરાંત ડોકટર, એડવોકેટ, મિડિયા સેલની રચના સાથે વરિષ્ઠભુદેવોની કમીટી જાહેર કરાઇ છે.

બૃમ્હસમાજનાં પ્રમુખ ગિરીશભાઈ રાવલે જણાવ્યું કે બ્રહ્મસમાજના આર્થિક નબળા પરીવારો માટે ર્મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ કાઢવાની કામગીરી ચાલું હોય લાભાર્થીઓએ ગીતા ટાઇપમાં સંપર્ક કરવો.

બ્રહ્મસમાજની બેઠકમાં શહેર તાલુકા સમસ્તબ્રહ્મ સમાજનાં આગેવાનો, કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતા.(૨૨.૨)

(11:57 am IST)