Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

જૂનાગઢથી ગુમ થયેલો વિદ્યાર્થી ઉના ખાતેથી મળી આવતા રાહત

શનિવારે છાત્રાલયેથી નીકળી ગયો હતો

જૂનાગઢ તા. ર૪: જૂનાગઢમાંથી ગુમ થયેલો વિદ્યાર્થી ઉના ખાતેથી મળી આવતા તેનાં વાલીને રાહત થઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢમાં મેઘાણીનગર પાસે આવેલ ચામુંડા છાત્રાલયમાં રહેતો અને શહેરની વિવેકાનંદ હાઇસ્કુલમાં અભ્યાસ કરતો સાસણનો કરણ મહેશભાઇ પરમાર (ઉ.વ. ૧૭) શનિવારનાં રોજ ગુમ થયો હતો.

શાળાએ ધો. ૧૦નો અભ્યાસ કરવા ગયા બાદ કરણ છાત્રાલયે પરત ન આવતા ગૃહપતિ પ્રકાશ સોલંકીએ કરણ ગુમ થયો હોવાની અપહરણની આશંકા સાથેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ બાળકનો પતો મેળવવા એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ દરમ્યાન આજે વ્હેલી સવારે કરણ સોલંકી ગીર સોમનાથ જિલ્લાનાં ઉના ખાતેથી મળી આવતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.

આ વિદ્યાર્થી ઉના ફરવા માટે પહોંચી ગયો હતો. (૭.૧૭)

(11:55 am IST)