Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ધોરાજી નરસંગ મંદિરના મહંત લાલદાસબાપુના મોતનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ

ધોરાજી, તા.૨૪: ધોરાજી ના જામકંડોરણા રોડ પર સફુરા નદી ના પૂલ પાસે આવેલ નરસંગ મંદિર ના મહંત લાલદાસ બાપૂ ગૂરૂ ગંગારામ બાપૂનો શૂકવારે લોહીલૂહાણ હાલત મા મૂતદેહ મળીઆવતા પોલીસે મામલાની સધન તપાસ હાથ ધરીને બનાવનો ભેદ ઉકેલવા માટે શંકાસ્પદ શખ્સો સહિત મહીલા ઓ ની પૂછપરછ હાથ ધરીને તપાસના ચક્રકોગતીમાન તેજ કરાયા છે

અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણા પણ ધોરાજી દોડી આવ્યા હતા

આ અંગે પોલીસ મથકે થી જાણવા મળેલી માહિતી મુજબ ધોરાજીના જામકંડોરણા રોડ પર સફરા નદીના પૂલ પાસે આવેલ નરસંગ મંદિરના મહંત લાલદાસ બાપૂ ગૂરૂ ગંગારામ બાપૂનો શૂકવારે લોહીલૂહાણ હાલતમા મૂતદેહ મળી આવ્યો હતો આ બનાવનો ભેદઉકેલવા માટે રાજકોટ જીલ્લા પોલીસ વડા બલરામ મીનાના માર્ગદશન તળે જેતપુર ડીવાયએસપી જે એમ ભરવાડ તથા પીઆઇ એમ વી ઝાલા તથા રૂરલ એલસીબી પોલીસ સ્ટાફ, ડી સ્ટાફ સહિતની પોલીસની ટીમો દ્વારા બનાવની ઝીણવટભરી તપાસ હાથ ધરીને નરસંગ મંદિરના મહંત લાલદાસ બાપૂ ગૂરૂ ગંગારામ બાપૂના મોતનો ભેદ ઉકેલવા માટે તપાસના ચક્રોગતીમાન તેજ કરાયા છે પોલીસે બનાવની જૂદા જૂદા એગલોથી તપાસનો ધમધમાટ શરૂ કરાયેલા છે પોલીસે તંત્ર દ્વારા મામલાની તપાસ સધન બનાવાઈ છે

આ અગે ધોરાજી પોલીસ મથકના પીઆઇ એમ વી ઝાલાનો સંપર્ક સાંધતા તેઓએ જણાવ્યું હતું કે ધોરાજીના નરસંગ મંદિર ના મહંત લાલદાસ બાપૂ ગૂરૂ ગંગારામ બાપૂના મોતના મામલાની સધન તપાસ હાથ ધરાઈ છે રાજકોટ જીલ્લા પોલીસ વડા બલરામ મીનાની સૂચનાતળે ડીવાયએસપી જે એમ ભરવાડના માર્ગદશન તળે મામલા ની તપાસ હાથ ધરી છે આ બનાવ અગે બે શખસો સહિત મહીલાની પૂછપરછ હાથ ધરીને તપાસને તેજ કરાઈ છે.(૨૨.૪)

(11:54 am IST)