Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

મેંદરડાનાં માનપુરની સગીરાનો ગળાફાંસો ખાઇને આપઘાત

જૂનાગઢ તા. ર૪: મેંદરડાનાં માનપુર ગામની દેવીબેન રામભાઇ (ઉ.વ. ૧૭) નામની સગીરાએ ગળાફાંસો ખાયને આઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી. પોલીસે મૃતકનાં આપઘાતનું કારણ મેળવવા તપાસ હાથ ધરી છે.

મોત

વિસાવદરમાં ડાકબંગલા વિસ્તારમાં રહેતા નીરૂબેન ભૂપતભાઇ મહેતા (ઉ.વ. ૪પ) એ માનસિક બિમારીથી કંટાળીને ઝેરી ટીકડા ખાયને મોતને મીઠું કરી દીધું છે.

(11:53 am IST)