Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

જામજોધપુરના ધુનડામાં પૂ.જેન્તિરામ બાપાના સાનિધ્યમાં ગુરૂપૂર્ણીમાં પર્વની ઉજવણી

 જુનાગઢ : જામજોધપુર નજીક આવેલ ધુનડાના સતપુરણધામ આશ્રમ ખાતે આજ સવારથી ગુરૂપૂર્ણિમાં પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં સવારે પૂ.જેન્તિરામબાપા દ્વારા તેમના ગુરૂદેવ પૂ. હરીરામબાપાની ચરણ પાદુકાનું પૂજન કરવામાં આવેલ બાદમાં પૂ. બાપાના પુત્ર તાજેતરમાં જ બ્રહ્મલીન થયેલ શાસ્ત્રી ભાવેશભાઇ શીલુને શ્રધ્ધાંજલી આપવામાં આવેલ અને પૂ. બાપાએ સત્સંગ દ્વારા સૌને અધ્યાત્મિક જીવનમાં ઉન્નતિ થાય ભકિત માર્ગે ગુરૂએ ચીંધેલ માર્ગે ખૂબ આગળ વધો તેવા આશિર્વાદ આપ્યા હતા અને શિષ્ય તેમજ પરિવારો દ્વારા પૂ. જેન્તિરામ બાપાનું પૂજન કરવામાં આવેલ અને વર્તમાન કોરોના મહામારીને લઇ સરકારશ્રીની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરી મર્યાદીત લોકોની ઉપસ્થિતીમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ) 

(1:10 pm IST)