Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

પોરબંદરમાં પૂ.ભાઇશ્રીના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમાંની ઉજવણી

જુનાગઢ :.. પોરબંદર : સાન્દીપની હરિમંદિર ખાતે ગઇકાલે શ્રીમતી ઇન્દીરાબેન અને મહેન્દ્રભાઇ પટેલ (કેન્યા) મનોરથી દ્વારા પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મંદિરે ધ્વજારોહણ તેમજ પૂ.ભાઇશ્રીના હસ્તે પાદુકા પૂજન અને આશિર્વચન અને વંદન પ્રણામના કાર્યક્રમો યોજાયા હતાં. ઉપરોકત તસ્વીરમાં પાદુકાનું પૂજન કરતા અને આશિર્વચન આપતાં પૂ.ભાઇશ્રી અને સંસ્કૃતિ સ્તવન ગ્રથનું વિમોચન કરી રહ્યા છે તેમજ ગૌપૂજન અને પૂ. ભાઇશ્રી ગોળની તુલા ગોળ ભારોભાર જોખી ભાવવંદના  કરતા સેવક પરિવાર અને પૂ.ભાઇના લઘુબંધુ ગૌતમભાઇ ઓઝા તથા ઋષિકુમારો નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ) 

(1:02 pm IST)