Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ભાવનગરમાં દોઢ લાખના ૪૦ લાખ ચુકવવાના વ્યાજખોરોના દબાણથી કંટાળીને શ્રમિક આધેડનો આપઘાત

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૪ : ભાવનગર શહેરમાં શ્રમિક આધેડે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી.

બનાવની વિગતો એવીછે કે શહેરના ઘોઘા જકાતનાકા ગાયત્રીનગર વિસ્તારમાં વારાહી સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા રઘુભાઈ રામજીભાઈ ડુમરાળિયાઉ.વ.૫૫ એ તેના ઘરે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. મૃતકે આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ લખી છે જેમાં તેમને રૂપિયા દોઢ લાખ વ્યાજે લીધા હતા તે રૂપિયા આપનારા વ્યાજખોરોના ત્રાસથી કંટાળી તેને આ પગલું ભર્યુ હોવાનું જણાવ્યું છે.

રૂપિયા દોઢ લાખના ૪૦ લાખ ચૂકવવા માટે દબાણ કરાતું હોવાનું અથવા મકાન ખાલી કરી દે તેવી ધમકી અપાતી હોવાનું જણાવાયું છે. આ અંગે મૃતકના પુત્ર જયેશભાઈ એ પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:35 am IST)