Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

બાબરાના નડાળામાં ખેતરમાં વીજળી પડતા ખેત મજૂરનું મોત : 2 મહિલાનો બચાવ

આટકોટ : બાબરા તાલુકાના નડાળામાં ખેતરમાં કામ કરતા ખેત મજુર દિનેશભાઇ નાનજીભાઈ સોલંકી દેવીપૂજક ( ઉ,વ,35 ) ઉપર વીજળી પડતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે

  મરનાર દિનેશભાઇ સાથે ખેતરમાં નિંદામણનું કામ કરતી અન્ય બે મહિલા દૂર હોય વીજળી પડતા બંનેનો બચાવ થયેલ છે,મરનાર દિનેશભાઇ ખેતર ભાગમાં  વાવવા રાખેલ હતું દિનેશભાઇને સંતાનમાં બે બાળકો છે

  ખેતરમાં વીજળી પડ્યાની જાણ થતા સાણથલી 108 એમ્બ્યુલન્સ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવેલ હતો ઉપરાંત નડાળાના સરપંચ દિનેશભાઇ કલકાણી ઘટના સ્થળે દોડી ગયેલ અને મૃતકને બાબરા સરકારી હોસ્પિટલે પીએમ માટે ખસેડાયેલ સરકારી હોસ્પિટલે સેવાભાવી મુકેશભાઈ કલકાણી દોડી આવેલ અને મદદરૂપ થયેલ હતા

(7:21 pm IST)