Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

લોધીકાના નાધુપીપળીયા બે મકાન-મંદિરમાં ચોર ખાબકયાઃ ૧.૮૭ લાખની મતાની ચોરી

ઉપસરપંચ અખેરાજભાઇ ગઢવી નિવૃત પીએસઆઇના ઘરમાંથી ચોરી : લોધીકા પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા. ર૪ : લોધીકાના નાંધુ પીપળીયા ગામમાં ઉપસરપંચ તથા નિવૃત પીએસઆઇ અને વાડીમાં મંદિરને નિશાન બનાવી તસ્કરો રોકડ તથા દાગીના મળી રૂ. ૧.૮૭ લાખની મત્તા ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ નાંધુ પીપળીયા ગામમાં રહેતા ઉપસરપંચ અખેરાજભાઇ રામભાઇ ગઢવી (ઉ.વ. ૬૩) ગત તા. ૧૭-૬ના રોજ પરિવાર સાથે બહારગામ ગયા હોય ત્યારે તેના બંધ મકાનનને અને પાડોશમાં રહેતા નિવૃત પીએસઆઇ અશોકદાન રામભાઇ ગઢવીના મકાનમાં અને તેના ભાઇ સાગરદાનભાઇ ગઢવીની વાડીમાં આવેલ મોગલમાના મંદિરમાં તરાટકી ગણપતિજીની નાની મૂર્તિ, બે ચાંદીની નાની વાટકી રૂ. ર૭૦૦૦ રોકડ, સોનાની બુટી, સોનાનું છત્તર અને નાના મોટા સાતથી આઠ છત્તર મળી કુલ રૂ. ૧.૮૭ની મત્તા ચોરી ગયા હતાં. આ અંગે અખેરાજભાઇ ગઢવીએ લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ જે.યુ. ગોહીલે તપાસ હાથ ધરી છે.

(11:59 am IST)