Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

શાપર-વેરાવળના કારખાનામાં પતરા પરથી પડી જતા રાજમનનું મોત

રાજકોટ તા. ર૪ : શાપર વેરાવળમાં આવેલા કારખાનામાં કામ કરી કરતી વખતે પતરા પરથી પડી જતા પરપ્રાંતીય યુવાનનું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં આવેલ શાંતીધામ પાસે કારખાનની ઓરડીમાં રહેતો રાજમન રામદાસભાઇ પાવ (ઉ.ર૭) ગઇકાલે કારખાનામં કામ કરતો હતો ત્‍યારે પતરા પરથી પડીજતા ઇજા થતા તેને રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું આ અંગે માલવીયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ. ધામા સહિતે પ્રાથમીક કાગળો કરી શાપર-વેરાવળ મોકલ્‍યા છે.

(11:11 am IST)