Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

જેતપુરમાં મધુસુદન ગાયનેક હોસ્પિટલનો રામદયાલ બાપુના હસ્તે શુભારંભ

ધોરાજીઃ જેતપુરના તીનબતી ચોક ખાતે મધુસૂદન ગાયનેક હોસ્પિટલનો જીથુડી હનુમાન મંદીરના મહંત રામદયાલબાપુના હસ્તે દિપ પ્રાગ્ટય કરી આરંભ કરાયો હતો. જેમાં દેવચંદભાઇ પરમાર, પુષ્પાબેન પરમાર, ડો. ભાવીની પરમાર, મંથન પરમાર, રમેશભાઇ જોગી, બળવંતભાળ ધામી, દિનેશભાઇ ભુવા, હરેશભાઇ ગઢીયા, કૌશલ પરમાર, હિતેષ જેઠવા, ડોકટરો તથા અન્ય લોકો હાજર રહ્યા હતા. હોસ્પિટલના ડો. કેતન પરમાર દ્વારા શુભેચ્છા પાઠવી જાણકારી અપાઇ હતી. આ આધુનિક મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પીટલ ૨૪ કલાક ઇમરજન્સી સારવાર તેમજ ગાયનેક રોગને લગતા તમામ પ્રકારના રોગનું નિદાન કરાશે.(તસ્વીરઃઅહેવાલઃધર્મેન્દ્ર બાબરીયા ધોરાજી)

(1:50 pm IST)