Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

રાણપુરના નાગનેશ ગામના યુવાન ખનજીભાઈ ડોડીયાનું મોત

બાઈકને સ્‍કોડા કારે હડફેટે લઈ લેતા

વઢવાણ,તા.૨૪: રાણપુર તાલુકાના નાગનેશ-ધંધુકા રોડ પર બાઈક અને કાર વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં એકનું મોત થયું હતું. એક વ્‍યક્‍તિને ગંભીર ઈજા સાથે બોટાદ ખસેડવામાં આવ્‍યો હતો.

માહિતી અનુસાર રાણપુર તાલુકાના નાગનેશ ગામે ફુલવાડી પરમાં રહેતા ભોગીલાલ મોહનભાઈ સરવાળિયા (ઉ.વ.૬૨)નો પુત્ર હરીકળષ્‍ણભાઈ અને વાડીમાં ભાગિયા તરીકે કામ કરતા ખનજીભાઈ કરશનભાઈ ડોડિયા આજે સોમવારે વાડીએ સાહ નાંખ્‍યા બાદ હરીકળષ્‍ણભાઈના બાઈક નં.જીજે.૧૩.કયુકયુ.૫૧૩૩માં બેસીને બન્ને નાગનેશ તરફ જવાના રસ્‍તે આવેલ ચાપરકા સીમવાળી વાડીએ જવા નીકળ્‍યા હતા. આ સમયે દેવળિયા-નાગનેશથી ધંધુકા તરફ જવાના રસ્‍તા પર આવેલ એસ્‍સા પેટ્રોલપંપ નજીક પહોંચતા ઓરેન્‍જ કલરની સ્‍કોડા કાર નં.જીજે.૩૮.બીડી.૩૦૩૧ના ચાલકે બાઈક સાથે અકસ્‍માત સર્જ્‍યો હતો. જે બનાવમાં બન્ને યુવકને ઈજા થતાં હરીકળષ્‍ણભાઈને પ્રથમ ધંધુકા અને ત્‍યારબાદ બોટાદ ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યારે ભાગિયા ખનજીભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોય, સારવાર અર્થે અમદાવાદ લઈ જવાઈ રહ્યા હતા. ત્‍યાં રસ્‍તામાં જ તેમનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું.

અકસ્‍માત સર્જી સ્‍કોડા કારનો ચાલક સ્‍થળ પર જ વાહન મુકી નાસી ગયો હતો.  કારના અજાણ્‍યા ચાલક સામે રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આઈપીસી ૨૭૯, ૩૩૭, ૩૦૪એ, એમ.વી. એક્‍ટ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:58 am IST)