Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

મૂળીના રામપરડા પાસે નર્મદાની લાઇનમાં ભંગાણ : ઘૂંટણસમા પાણી ભરાયા

વઢવાણ તા. ૨૪ : સુરેન્દ્રનગર રાજકોટ જતી મેઇન લાઇનમાં મૂળીનાં રામપરડા ગામ પાસે ભંગાણ સર્જાતા લાખો ગેલન પાણીનો વેડફાટ થયો હતો. આ પાણી એટલુ પ્રેસરથી આવતુ હતુ કે જોતજોતામાં આસપાસનાં ખેતરોમાં જાણે વરસાદી પાણી ભરાયા હોય તેમ ઘુંટણસમા પાણી ખેતરોમાં ભરાયા હતા. આ અંગે સ્થાનિકો લખુભાઇ કરપડા સહિતનાં એ જણાવ્યું હતું કે, ચાંદ્રેલીયાદાદાના મંદિર પાસે કોઇ કારણસર નર્મદાની મુખ્યલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જયારે તંત્રને જાણ કરવા છતા કલાકો સુધી પાણીનો વેડફાટ થયો હતો.  આ અંગે નર્મદા વિભાગનાં ક્રિપાલસિંહે જણાવ્યુ કે, કયાં કારણથી લાઇનમાંથી પાણી નિકળ્યુ સહિતની તપાસ કરાશે.

(1:19 pm IST)