Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

૭૭-જામનગર ગ્રામ્ય વિધાનસભા પેટા ચુંટણીમાં નન ઓફ ધ અબાવ (નોટો)માં રર૧પ મતો અપાયા

જામનગર, તા., ર૪:    ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણીની સાથે સાથે વિધાનસભા પેટા ચૂંટણીઓ પણ યોજાઇ હતી. જેમાં તા. ૨૩ એપ્રિલ ૨૦૧૯ના રોજ મતદાન થયેલ હતું. જેમાં ૭૭ – જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારનો પણ સમાવેશ થયેલ છે. આ અન્વયે આજરોજ તા. ૨૩ મે ૨૦૧૯ના મતગણતરી શહેરની શ્રી હાલારી વિશા ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ, ઇન્દિરા માર્ગ જામનગર યોજાયેલ હતી. ૭૭ – જામનગર ગ્રામ્ય વિધાનસભામાં કુલ ૨૩૧૫૮૮ મતદારો નોંધાયેલા છે જેમાંથી ૧૪૯૪૩૬ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને રાજકીય પાર્ટીઓને તેમનો અમુલ્ય મત આપેલ હતો. જયારે ૨૨૧૫ મતદારોએ નન ઓફ ધ અબાવ (નોટા)નો ઉપયોગ કરેલ હતો.

(1:18 pm IST)