Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

માંગરોળ તાલુકા પેન્શનર સમાજનું સરાહનીય કાર્ય

પેન્શનર અને સીનીયર સીટીઝનોને હૈયાતીની ખરાઇની કાર્યવાહીમાં તકફલી વેઠવી ન પડે તે માટે માંગરોળ તાલુકા પેન્શનર સમાજ દ્વારા હૈયાતીની ખરાઇ બેન્કને બદલે પેન્શનર સમાજના કાર્યાલયમાં કરી આપી સરાહનીય કાર્ય હાથ ધરાયુ હતુ. પ્રમુખ જેઠાભાઇ નંદાણીયાની રાહદોરીમાં થયેલ આ પ્રક્રિયામાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની માંગરોળ શાખાના ચીફ મેનેજર શ્રી ભટ્ટ અને સ્ટાફગણે ઉપસ્થિત રહી કામગીરીને હળવી બનાવી દીધી હતી. આ તકે સત્સંગી સેવક અને પેન્શનર સમાજના પ્રચાર મંત્રી મનસુખભાઇ એમ. પરમારે બેન્ક અધિકારીઓ સહીતના ૧૧ આગેવાનોને પ્રસાદની થેલી અર્પણ કરી હતી. સભાનું સંચાલન અને અંતમાં આભારદર્શન મંત્રી વિરંચી શુકલે કરેલ.

(11:38 am IST)