Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ભુજની જી,કે,હોસ્પિટલમાં 13 દિવસમાં 20 બાળકોના મોત ? : તપાસના આદેશ :કલેકટરે રિપોર્ટ મંગાવ્યો

જો ફરિયાદ સાચી પુરવાર થશે તો જરૂરથી પગલા ભરવામાં આવશે

 

ભુજની જી કે હોસ્પિટલમાં 13 દિવસમાં 20 બોળકોના મોત મામલે ભૂજ કલેક્ટર દ્વારા સંચાલકો પાસેથી તમામ રિપોર્ટ મંગાવ્યો છે.

   જીલ્લા કલેક્ટરે 13 દિવસમાં 20 બાળકોના મોત મામલે મળેલ ફરિયાદના પગલે જી કે જનરલ હોસ્પિટલના સંચાલકો પાસેથી મામલે રિપોર્ટ મંગાવ્યો છે.કલેક્ટરે મીડિયાને જણાવ્યું કે, બાળકોના મોત મામલે તંત્ર ગંભીર છે, જો ફરિયાદ સાચી પુરવાર થશે તો જરૂરથી પગલા ભરવામાં આવશે. અમે હોસ્પિટલ પાસેથી હાલમાં રિપોર્ટ મંગાવ્યો છે, હું તેનો અભ્યાસ કરીશ.
   
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જી કે જનરલ હોસ્પિટલમાં 13 દિવસમાં 20 બાળકોના મોત થયાનો મામલો ચર્ચામાં આવ્યો હતો. કોંગ્રેસ અને મૃત્યું પામેલ બાળકોના પરિવારજનો દ્વારા મામલે પગલા ભરવા માટે કલેક્ટરને પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જોકે જી કે જનરલ હોસ્પિટલના સંચાલકો દ્વારા આક્ષેપને પાયાવિહોણો કહી ફગાવી દેવામાં આવ્યો હતો

(11:00 pm IST)