Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

વાવાઝોડાની શકયતાને પગલે મોરબીના નવલખી બંદરે ર નંબરનું સિગ્નલ

રાજકોટ : અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાતા તમામ બંદરોને એલર્ટ કરવામાં આવતા મોરબીના નવલખી બંદરે બે નંબરનું સિગ્નલ ચડાવવામાં આવ્‍યું છે. અરબી સમુદ્રમાં ડીપ્રેશન સર્જાયું હતું જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ જતા વાવાઝોડાની શકયતા જોવાઇ રહી છે. વાવાઝોડાને પગલે ઝડપી પવન ફુંકવાની શકયતા હોય જેથી હવામાન વિભાગ દ્વારા તમામ બંદરોને એલર્ટ કરવામાં આવ્‍યા હતાં. તો મોરબીના નવલખી બંદર પર પણ બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્‍યું હતું.

(11:44 am IST)