Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

જુનાગઢમાં કેન્દ્રીય મંત્રી થાવરચંદ્ર ગેહલોતના હસ્તે ૨પપ૧ દિવ્યાંગોને ૬૧૪૧ સાધનો અર્પણ કરાશે

જૂનાગઢ, તા.૨૨:  ભારત સરકારશ્રીનાં સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય નવી દિલ્હીની સહયોગી સંસ્થા એલીમ્કો કાનપુર દ્વારા દિવ્યાંગજનોને સાધનકીટ વિતરણ તથા ફીટીંગ કાર્યક્રમ તા. ૩૧ના કૃષિ યુનિ. કેમ્પસમાં ઓડીટોરીયમ ખાતે તથા સરદાર પટેલ સભાગૃહ સ્થળે યોજાનાર છે.

આ કાર્યક્રમમાં ૨૫૫૧ દિવ્યાંગજનોને ૬૧૪૧ સાધનોનું વિતરણ કરવાનું છે. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી થાવરચંદ ગેહલોત  તથા સંસદ સભ્ય રાજેશ ચુડાસમા ઉપસ્થિત રહેનાર છે. કાર્યક્રમનાં અમલીકરણ માટે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લાનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ સમીતિની રચના કરી અધીકારીઓને સમગ્ર કાર્યક્રમનાં સુચારૂ વ્યવસ્થાપન માટે જવાબદારીઓ સોંપવામાં આવી હતી. (૨૩.૨)

 

(10:35 am IST)