Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ધોરાજીમાં લેઉઆ પટેલ સમાજનો સમુહ લગ્નોત્સવ, ૩૭ નવદંપતીઓએ પાડયા પ્રભુતામાં પગલા

 ધોરાજી : અહીયા લેઉઆ પટેલ કેળવણી મંડળ ખાતે લેઉઆ પટેલ જાગૃતિ મંડળના ઉપક્રમે ૨૦ મો સમુહલગ્નોત્સવ યોજાયો હતો. જેમાં ૩૭ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. તમામ દિકરીઓને ૫૦ જેટલી ઘરવખરીની ચીજવસ્તુઓ કરિયાવરમાં અપાઇ હતી. આ તકે તમામ નવદંપતીઓને લગ્ન રજીસ્ટર કરી સર્ટીફીકેટ પણ એનાયત કરાયા હતા. તસ્વીરમાં ઉપસ્થિત કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, માજી સાંસદ અરવિંદભાઇ પટેલ સહિતના મહેમાનો, અગ્રણીઓ અને સમિતિના હોદ્દેદારો દર્શાય છે.(૪૫.૪)

(12:03 pm IST)