Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ઉના પાસે ગેરકાયદે પથ્થરોની ખાણ બંધ કરાવવા કલેકટરને રજૂઆત

ઉના, તા. ૨૩ :. ધર્મેશકુમાર ચંદુભાઈ જેઠવાએ કલેકટરશ્રી ગીર સોમનાથ પ્રાંત અધિકારી શ્રી તથા ભૂસ્તર શાસ્ત્રી શ્રી ગીર સોમનાથને રજૂઆતમાં ઉના તાલુકાના વેરાવળ રોડ ઉપર ગેરકાયદે ચાલતી પથ્થરની ખાણ બંધ કરાવવા માગણી કરી છે.

નેશનલ હાઈવે નજીક લીઝ વગરના સ્થળે ગેરકાયદેસર રીતે બેફામ અને બેખોફ રીતે ચુના-પથ્થર કાઢવામાં આવી રહેલ છે. વિસ્તારમાં સિંહ, દીપડા, રોઝ, હરણ, ચીંકારા, ઝરખ, શીયાળ સહિતના વન્યપ્રાણીઓ અને અનેક સરીસૃપો તથા સ્થાનિક અને શીયાળા દરમિયાન યાયાવર પક્ષીઓનો વસવાટ હોય તાત્કાલીક અસરથી ખાણ બંધ કરાવવા અને લીઝ રદ કરવા રજૂઆતમાં  જણાવાયુ છે.(૨-૪)

(10:39 am IST)