Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

પોરબંદરમાં કોરોનાથી વધુ ૩ મૃત્યુઃ નવા ર૯ પોઝીટીવ કેસ

૭ દર્દીઓ સાજા થયાઃ જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસની કુલ સંખ્યા ૧૧૮૭

(પરેશ પારેખ-સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૪: શહેર-જીલ્લામાં કોરોના સંક્રમણની ગતી વધતી જાય છે. છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના ૩ દર્દીઓના મૃત્યુ થયેલ છે. તેમજ જીલ્લામાં નવા ર૯ કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે.

ગઇકાલે ૪પ૮ વ્યકિતઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૨૯ વ્યકિતઓના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા છે.

આ કોરોના પોઝીટીવ કેસ શહેરના કુછડી છાંયા કડીયા પ્લોટ બોખીરા, ભોજેશ્વર પ્લોટ વગેરે વિસ્તારોમાંથી આવ્યા છે.

કોરોનાની સારવાર દરમિયાન ૩ દર્દીઓએ દમ દોડી દીધો હતો.

કોરોનાની સારવારમાં રહેલા ૭ દર્દીઓ સાજા થઇ જતા હોસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલ કૃલ સંખ્યા ૧૦૪૭ થઇ છે. તેમજ જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી મરણ ગયેલ દર્દીઓની કુલ સંખ્યા ૧ર૪ પહોંચી છે. જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૩૪૧ર૭ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. પોરબંદર સિવિલ હોસ્પીટલમાં હાલ ૩૮ દર્દીઓ તેમજ કોવીડ હોસ્પીટલમાં ૧૧ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહેલ છે.

(12:51 pm IST)