Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

ભાયાવદરમાં ભાજપ ટીમ દ્વારા સરકારી દવાખાનામાં ૧૦ ઓકસીજન બાટલા અર્પણ

(રમેશ સાંગાણી દ્વારા) ભાયાવદર, તા., ૨૪: ભાયાવદરમાં  ભયંકર કોરોનાનો વાયરસ ફેલાતા રાજકોટ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા તથા ભાયાવદર શહેર ભાજપના પ્રમુખ અતુલભાઇ વાછાણી તથા તેની ટીમે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતા સંસદસભ્ય શ્રી રમેશભાઇ ધડુક ભાયાવદર દોડી આવતા સરકારી હોસ્પીટલમાં વિઝીટ કરતા દવાખાનામાં કોવીડને લગતો દવાનો જથ્થો તથા તેની લગતી સામગ્રી આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી શ્રી ભંડેરીને વ્યવસ્થા કરવા સુચના આપેલ હતી. શહેરને ભાજપની ટીમ દ્વારા ૧૦ ઓકસીજનના બાટલાની વ્યવસ્થા કરી અને સંસદસભ્ય રમેશભાઇ ધડુક ગ્રાન્ટમાંથી એક એમ્બુલન્સ મંજુર કરેલ છે.

ભાજપની ટીમના અતુલભાઇ વાછાણી, સરજુભાઇ માકડીયાનો સંપર્ક કરવો તથા રાજકોટ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, વી.સી.વેગડા, પત્રકાર રમેશ સાંગાણી વગેરે સરકારમાં તથા સંસદસભ્ય પાસે રજુઆત કરતા સંસદસભ્યે ઘટતુ કરવાની ખાત્રી આપી છે.

(11:48 am IST)