Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

પરિવાર સાથે નાસ્તો કર્યો : ભારતીબેન શ્યાળ મિત્રો તથા ગ્રામ લોકોને મળીશ : મનહરભાઇ પટેલ

રાજકોટ, તા. ર૪ : ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભારતીબેન શ્યાળે 'અકિલા' સાથેની વાતચીતમાં જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો અને ભાજપ તરફી મતદાન થયાનો આશાવાદ વ્યકત કર્યો હતો.

ભારતીબેન શ્યાળે જણાવ્યું કે, ઘણા દિવસોથી સતત પ્રચારમાં વ્યસ્ત હોવાથી આજે ફ્રી થઇ છું અને આજે પરિવાર સાથે નાસ્તો કર્યો હતો.

જયારે કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઇ પટેલ 'અકિલા'ને જણાવ્યું હતું કે કોંગ્રેસને સારો રિસ્પોન્સ મળ્યો છે. ગઇકાલે સાંજે મતદાન બાદ ઇવીએમ સીલ સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આપણો વિજય નિશ્ચિત છે. મતદાન પૂર્ણ થતાં હવે મિત્રો સાથે મળીને ચર્ચા-વિચારણા કરીશ અને જે ગ્રામ્ય વિસ્તારોમાં જઇ નથી શકાયું ત્યાં જઇને લોકોને તથા જુદી જુદી સ્વેચ્છીક સંસ્થાઓના આગેવાનો કાર્યકરોને મળીશ.

(11:38 am IST)