Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

૧૦૦ ટકા ભાજપ જીતે છેઃ નારણભાઇ કાછડીયા

રાજકોટ, તા., ર૪: ગઇકાલે લોકસભાની ચુંટણી પુર્ણ થયા બાદ અમરેલીના ભાજપના ઉમેદવાર અને સાંસદ નારણભાઇ કાછડીયાએ જણાવ્યું હતું કે અમરેલીમાં ભાજપનો વિજય ૧૦૦ ટકા થવાનો છે.

ગઇકાલે ચુંટણી પુર્ણ થયા બાદ આજે સવારે નિત્યક્રમ મુજબ ભગવાનની પુજન-અર્ચન કર્યા બાદ મિત્રો સાથે ચુંટણી અંગે વિશ્લેષણ કર્યુ હતું.

નારણભાઇ કાછડીયાએ જણાવ્યું કે અમરેલી જીલ્લામાં પાંચ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયા બાદ હવે લોકો પસ્તાય છે અને નરેન્દ્રભાઇ મોદીના શાસનને આવકારે છે. લોકોએ નરેન્દ્રભાઇના નામ ઉપર મત આપ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલ કામગીરીને લોકો બિરદાવી રહયા છે. ખેડુતો માટે તેમજ સામાન્ય લોકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ કેન્દ્ર સરકારે આપી છે. ખેડુતોને કોઇ પણ પ્રકારનું નુકશાન ન થાય તે માટે કેન્દ્ર સરકાર સદાય તત્પર રહે છે.

(11:36 am IST)