Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

કાલાવડમાં ઉજ્જવલા દિવસની ઉજવણી

કાલાવડ : અપના બજાર ગેસ એજન્સી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની મહત્વાકાંક્ષી યોજના ઉજ્જવલા યોજનાની ઉજવણી પ્રસંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાત રાજયના માનનીય કૃષી મંત્રી આર.સી.ફળદુ અધ્યક્ષસ્થાને રહેલા હતા. તેમજ ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીશ્રી એસ.વેંકટેશ અતિથિ વિશેષ પદે હાજર રહેલ. આ કાર્યક્રમમાં કાલાવડ તાલુકાના ૧૦૦ લાભાર્થી બહેનોને વિનામુલ્યે ગેસ કનેકશન ફાળવવામાં આવેલ હતા. કૃષિમંત્રીશ્રી ફળદુએ પ્રધાનમંત્રી દ્વારા ગરીબોની કરવામાં આવતી ચિંતા તેમજ તેમના જીવનધોરણને ઉંચુ લાવવા માટે સરકારશ્રી દ્વારા થતા પ્રયત્નોની વિસ્તૃત છણાવટ કરી હતી. અપના બજારના ચેરમેન અને એમ.એમ.ટી.સી. (દિલ્હી)ના ડાયરેકટર શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ સ્વાગત કરેલ હતુ. ભાજપાના પ્રમુખ કશ્યપભાઇ વૈષ્ણવ નગરપાલિકાના કારોબારી ચેરમેન તેમજ પૂર્વ પ્રમુખ મનોજભાઇ જાની, વિરેન્દ્રસિંહ જાડેજા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન યુવરાજસિંહ જાડેજા, લેઉવા પટેલ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી જમનભાઇ તારપરા તથા વેલજીભાઇ સભાયા, નગરપાલીકાના સભ્યો તેમજ આગેવાનો અને લાભાર્થીઓના પરિવારના સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા. લાભાર્થીઓને કીટ અર્પણ કરાય તે તસ્વીર.

(11:47 am IST)